રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ ઓથોરિટી (NTCA)એ મધ્ય ગુજરાતના રતનમહાલ વન્યજીવન અભયારણ્યમાં વાઘની હાજરીની પુષ્ટિ કરી કરતાની સાથે ગુજરાતે 33 વર્ષ પછી ‘ટાઇગર સ્ટેટ’ તરીકેનો દરજ્જો પાછો મેળવ્યો હતો. ગુજરાતના વન અને પર્યાવરણ પ્રધાન અર્જુન મોઢવાડિયાએ શુક્રવાર, 26 ડિસેમ્બરે આ અંગેની જાહેરાત કરી હતી.